Wednesday, December 9, 2009

એ તો કેવી અજબ જેવી વાત છે!


એ તો કેવી અજબ જેવી વાત છે!
નાની મારી આંખ, એ તો જોતી કાંક કાંક….એ તો કેવી અજબ જેવી વાત છે!
નાક મારું નાનું, એ સૂંઘે ફૂલ મજાનું….એ તો કેવી અજબ જેવી વાત છે!
નાના મારા કાન, એ સાંભળે દઈ ધ્યાન….એ તો કેવી અજબ જેવી વાત છે!
નાનું મોઢું મારું, એ બોલે સારું સારું….એ તો કેવી અજબ જેવી વાત છે!
નાના મારા હાથ, એ તાળી પાડે સાથ….એ તો કેવી અજબ જેવી વાત છે!
પગ મારા નાના, એ ચાલે છાનામાના….એ તો કેવી અજબ જેવી વાત છે!
આંગળી મારી લપટી, એથી વગાડું ચપટી….એ તો કેવી અજબ જેવી વાત છે!

Read more...

મેં એક બિલાડી પાળી છે

મેં એક બિલાડી પાળી છે,
તે રંગે બહુ રૂપાળી છે,

એ હળવે હળવે ચાલે છે,
ને અંધારામાં ભાળે છે,

દૂધ ખાય, દહીં ખાય,
ઘી તો ચપચપ ચાટી જાય,

તે ઉંદરને ઝટપટ ઝાલે,
પણ કૂતરાથી બીતી ચાલે,

એના ડિલ પર ડાઘ છે,
એ મારા ઘરનો વાઘ છે

Read more...

Sunday, December 6, 2009

વિદાય ગીત- દીકરીતો પારકી થાપણ કહેવાય

ગુજરાતમાં કન્યાવિદાય વખતે કદાચ સૌથી વધુ ગવાયેલું આ ગીત… ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ -

બેના રે..
સાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરીતો પારકી થાપણ કહેવાય

બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
રમતી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે
બેના રે.. વિદાયની આ વસમીવેળા રોકે ના રોકાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

તારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથે
સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે
બેના રે.. તારી આ વેણીનાં ફૂલો કોઈ દિ ના કરમાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી
બેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

સ્વર: લતા મંગેશકર
For Listen: Click Here

Read more...

Wednesday, December 2, 2009

Recuva recovers files deleted from your Windows computer

Accidentally deleted an important file? Lost something important when your computer crashed? No problem! Recuva recovers files deleted from your Windows computer, Recycle Bin, digital camera card, or MP3 player.

1. Scanning drive for deleted files - showing the numbered of files found and the percentage completed.


2. Results of a scan in a list view - sortable by column and searchable through a custom filter. There is also a preview of any images in the right panel.


3. Selecting files to recover in tree view. A hierarchical approach to recovery, similar to Windows Explorer.


4. Thumbnail view allows you to visually browse deleted images for the specific file you need.



5. For beginner users Recuva has a simple wizard that helps you to locate the deleted files on your system.



જ્યારે આપણે આપણા પીસીમાંથી કેટલીક ફાઈલો કે ફોલ્ડર ડીલીટ કરીએ છીએ ત્યારે તે રીસાઈકલ બીનમાં જતું રહે છે પરંતુ જો રીસાઈકલ બીનને પણ એમ્પ્ટી કરી દેવામાં આવે. અને ફરી એ ડેટા પાછા મેળવવા હોય તો ?



શું તે શક્ય છે ? હા બિલકુલ સંભવ છે. કારણ કે ડેટા રીસાઈકલ બીનમાંથી ઉડાવી દેવામાં આવતા હાર્ડ ડિસ્કને એક સંદેશ જાય છે કે તે આ ડેટાના પાથને રીડ ન કરે. પરંતુ તે ડેટા તેના સ્થાને જ સુરક્ષિત પરંતુ અદ્રશ્ય રહે છે.



ક્યારેક ક્યારેક કોઈ મહત્વપૂર્ણ ફાઈલ ભૂલમાં ડિલીટ થઈ જાય છે, અને ત્યાર બાદ ખૂબ હેરાની અનુભવાય છે. જોકે ડેટા રિકવરીના ઘણા પ્રોગ્રામ ઉપલબ્ધ છે તથા પ્રોફેશનલ સેવાઓ પણ લેવામાં આવે છે.



રેકુઆ ડિલીટ કરેલ ફાઈલોને પાછી ખોજી લાવવામાં સૌથી સરળ માધ્યમોમાંનું એક છે. અહીં ત્રણ સામાન્ય તબક્કાઓ દ્વારા આપ પોતાનો ડેટા પાછો મેળવી શકો છો.



સૌથી પહેલા તમારે તમારી ફાઈલ કયા પ્રકારની હતી તેનું સીલેક્શન કરવાનું છે. દા.ત. ફોટો, વીડિયો, ડોક્યુમેંટ, વગેરે... ત્યાર બાદ તમારે ફાઈલ છેલ્લીવાર ક્યા હતી તેનું સીલેક્શન કરવાનું રહેશે, (કોઈ ફોલ્ડરમાં કે રિસાઈકલ બીનમાં)- ત્યાર બાદ બસ સર્ચ બટન દબાઓ.

જો તમને ફાઈલની અંતિમ લોકેશન યાદ ન હોય તો તમે ડીપ સર્ચ પણ આપી શકો છો.



તમારુ સર્ચ પૂર્ણ થયા બાદ એપ્લિકેશન તમને તમારી ફાઈલ પાછી શોધીને આપી દેશે, કાંતો તમને એ જણાવી દેશે કે તમે આ ફાઈલ પ્રાપ્ત કરી શકશો કે નહી.


Download : Click Here

Read more...

Saturday, November 28, 2009

ઇટ્સ ગુજરાત હાઈ-ટેક કોર્ટ


હાઈટેક બનેલી ગુજરાત હાઈકોર્ટમાં નોટિસ બોર્ડ ઉપર કાગળિયા લગાવવાની પ્રથા હવે ભૂતકાળ બની જશે. હાઈકોર્ટે પોતે વિકસાવેલા સોફટવેરની મદદથી હવે ૬૦ એલ સી ડી સ્ક્રીન ઉપર કયો કેસની વિગતો ફલેશ થશે.



પોતાનો કેસ ગુજરાત હાઇકોર્ટના વિશાળ કેમ્પસમાં આવેલી ૩૩ અદાલતો પૈકી કઇ અદાલતમાં ચાલી રહ્યો છે તે જોવા માટે અસીલો અને વકીલોએ હવે નોટિસ બોર્ડ ઉપર લગાવવામાં આવતા કાગળિયાં પર આધાર રાખવો નહિ પડે. ગુજરાત હાઇકોર્ટ હવે અત્યાધુનિક સર્વર રૂમ અને ૬૦થી વધુ કમ્પ્યૂટરાઇઝ એલસીડી ટીવી સાથે હાઇટેક થઇ રહી છે. અસીલો અને વકીલોની સગવડ માટે હાઇકોર્ટ સંકુલમાં ૬૦ થી વધુ લોકેસન્સ પર એલસીડી ટીવી લગાવવામાં આવશે.



કઇ કઇ જગ્યાએ લાગશે એલસીડી...?



હાઇકોર્ટની જુદી-જુદી ૩૩ અદાલતો ઉપરાંત એડવોકેટ્સ રૂમ, બારરૂમ, કેન્ટીન, લાઇબ્રેરી, તમામ લોબીઓ અને લેડિઝ રૂમ જેવી વિવિધ ૬૦ થી વધુ જગ્યાઓ પર એલસીડી ટીવી લગાવવામાં આવશે. એલસીડી ટીવી પર દર્શાવવામાં આવી રહેલી માહિતી દરેક જણ દૂરથી સ્પસ્ટ પણે વાંચી શકે તે માટે ટીવી સ્ક્રીનની સાઇઝ ૩૨ ઇંચ રાખવામાં આવશે.



કેસની તમામ માહિતી એલસીડી પર...



જે તે સમય હાઇકોર્ટની જુદી જુદી અદાલતોમાં ઓન બોર્ડ જે નંબરનો કેસ ચાલતો હોય તે કેસની સંપૂર્ણ વિગત એલસીડી ટીવી પર દર્શાવવામાં આવશે. નેકસ્ટ કયો કેસ બોર્ડ પર આવશે? કયા વકીલે હાજર રહેવાનું છે? અને કયા નંબરની કોર્ટ છે? કયા જજ સાહેબ સામે કેસ રજૂ થવાનો છે? જેવી તમામ વિગતો એલસીડી પર રજૂ કરાશે. જે વકીલોએ એક જ દિવસે જુદા જુદા અનેક કેસોમાં અપિયર થવાનું હોય તેઓ સરળતાથી જણી શકશે કે તેમનો કયો કેસ કયારે બોર્ડ પર આવશે. એલસીડી સુવિધાનો ફાયદો ૬૦૦૦ એડવોકેટ, ૨૪ માનનીય જજીસ અને કોર્ટ સ્ટાફ ઉપરાંત એક લાખથી વધુ અરજદારોને થશે.



હાઇકોર્ટે જાતે વિકસાવ્યું સોફટવેર



એલસીડી પ્રોજેકટ માટે હાઇકોર્ટના કમ્પ્યૂટર વિભાગે જાતે અધતન સોફટવેર ડિઝાઇન કરીને રૂ. ૧૦ લાખની બચત કરી છે. આ સોફટવેરની મદદથી હાઇકોર્ટની જુદી જદી ૩૩ અદાલતોની માહિતી સર્વર રૂમમાં પહોંચશે અને સર્વરરૂમ આ માહિતીને વ્યવસ્થિત રીતે ગોઠવીને એલસીડી ટીવી પર પ્રસારિત કરશે.


Source: DB

Read more...

Thursday, November 26, 2009

ચોઘડીયા (Choghadiya)

કોઇપણ કાર્યને શુભ મુહૂર્તમાં કે સમય પર આરંભ કરવાથી પરિણામ અપેક્ષિત આવવાની શક્યતા વધારે છે. આ શુભ સમય ચોઘડીયામાં જોઇને મેળવી શકાય છે. અહીં અમે ચોઘડીયા જોવાની સગવડ ઉપલબ્ધ કરી છે.

(Click on Image to large view)

વિશેષ-દિવસ અને રાત્રિના ચોઘડિયાની શરૂઆત ક્રમશઃ સૂર્યોદય અને સૂર્યાસ્‍તથી થાય છે. દરેક ચોધડિયાનો સમયગાળો દોઢ કલાકનો હોય છે. સમયપ્રમાણે ચોઘડિયાને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે - શુભ, મધ્યમ અને અશુભ. આમાં અશુભ ચોઘડિયામાં કોઇ પણ નવું કાર્ય કરવાથી બચવું જોઇએ.


Read more...

108 મણકાઓનું રહસ્ય





માળાની અંદર 108 મણકા હોય છે. ઉપનિષદોની સંખ્યા પણ 108 છે.


* બ્રહ્માના 9 અને આદિત્યના 12 આ રીતે તેમનો ગુણાકાર 108 થાય છે.

* જૈન મતાનુસાર અક્ષ માળામાં 108 મણકા રાખવાનું વિધાન છે. આ વિધાન ગુણો પર આધારિત છે.

આપણા ધર્મની અંદર 108ની સંખ્યાને મહત્વપુર્ણ માનવામાં આવે છે. ઈશ્વરના નામનો જપ, મંત્ર જપ, પૂજા સ્થળ કે આરાધ્યની પરિક્રમા, દાન વગેરેમાં આ ગણનાને મહત્વ આપવામાં આવે છે. જપમાળામાં એટલા માટે 108 મણકાઓ હોય છે. ઉપનિષદોની સંખ્યા પણ 108 છે. વિશિષ્ટ ધર્મગુરૂઓનાં નામની સાથે આ સંખ્યાને લખવાની પરંપરા છે. તંત્રની અંદર ઉલ્લેખાયેલ દેવીના અનુષ્ટાન પણ આટલા છે.

પરંપરા અનુસાર સંખ્યાનો પ્રયોગ તો બધા જ કરે છે પરંતુ તેના રહસ્યથી મોટા ભાગના લોકો અજાણ્યા છે. આ ઉદેશ્ય હેતું તેના વિશે થોડીક જાણકારી અહીં આપી છે-

જાગૃત અવસ્થાની અંદર શરીરની કુલ 10 હજાર 800 શ્વસનની કલ્પના કરવામાં આવી છે. તેથી સમાધિ અને જપ દરમિયાન પણ આટલા જ આરાધ્યમાં સ્મરણ અપેક્ષિત છે. જો આટલું કરવામાં સમર્થ ન હોય તો છેલ્લાં બે શુન્ય દૂર કરીને 108 જપ તો કરવા જ જોઈએ.




108
ની સંખ્યાને પરબ્રહ્મની પ્રતિક માનવામાં આવે છે. 9 નો અંક બ્રહ્માનો પ્રતિક છે. વિષ્ણુ અને સુર્યની એકાત્મકતા માનવામાં આવે છે જેથી કરીને વિષ્ણુ સહિત 12 સૂર્ય કે આદિત્ય છે. બ્રહ્મના

9 અને આદિત્યના 12 આ રીતે તેમનો ગુણાકાર 108 થાય છે. એટલા માટે પરબ્રહ્મની પર્યાય આ સંખ્યાને પવિત્ર માનવામાં આવે છે.


માનવ જીવનની 12 રાશિઓ છે. આ રાશીઓ 9 ગ્રહોથી પ્રભાવિત છે. આ બંને સંખ્યાનો ગુણાકાર પણ 108 થાય છે.

આકાશમાં 27 નક્ષત્ર છે. આના 4-4 પાદ કે ચરણ છે. 27 નો 4 સાથે ગુણાકાર કરવાથી 108 થાય છે. જ્યોતિષમાં પણ તેમના ગુણાકાર અનુસાર ઉત્પન્ન થયેલ 108 મહાદશાઓની ચર્ચા કરાઈ છે.

ઋગ્વેદમાં ઋચાઓની સંખ્યા 10 હજાર 800 છે અને બે શુન્યને દૂર કરવા પર 108 થાય છે.

શાંડિલ્ય વિદ્યાનુસાર યજ્ઞ વેદોમાં 10 હજાર 800 ઈંટોની જરૂરિયાત માનવામાં આવે છે. બે શુન્યને ઓછા કરીએ તો તેમાં પણ 108 જ બચે છે.

જૈન મતાનુસાર પણ અક્ષ માળામાં 108 મણકાને રખવાનું જ વિધાન છે. આ વિધાન ગુણો પર આધારિત છે. અર્હંતના 12, સિદ્ધના 8, આચાર્યના 36, ઉપાધ્યાયના 25 તેમજ સાધુના 27 આ રીતે પંચ પરમિષ્ઠના કુલ 108 ગુણ હોય છે.

Read more...
Blog Design by: Jignesh Patel

  ©Template by Dicas Blogger.